Posted by: shrail on: August 26, 2008
રમ્ય આ એકાંત છે,
સ્નેહ કેવો શાંત છે !
ચાંદનીની સોડમાં
આજ દરિયો શાંત છે !
મેઘ ઘેરાયો છતાં,
વીજ કેવી શાંત છે !
મૌન મોજે ઉછળે,
શબ્દના સઢ શાંત છે !
ઘૂમટાની આડશે
એક દિવો શાંત છે !
પાંદડે ખળભળ ઘણી,
મૂળ ઊંડે શાંત છે !
એ અહીં આવી પૂગ્યાં,
એટલે ઘર શાંત છે !
હું હવે મારો નથી,
કેટલું મન શાંત છે !
– ચંદ્રકાંત શેઠ
મંતવ્યો