.:: ShraiL ::.

Develover’s poetry collection

બે ઘડી શ્વાસો ભરી તો જો….! March 28, 2008

Filed under: prabhat na pushpo — shrail @ 2:53 pm
Tags:
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે નાઝીર
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

 

Leave a Reply